મુખ્ય સામગ્રી પર જાઓ

શિયાળામાં શ્રેષ્ઠ આયુર્વેદ:ઠંડીમાં શરદી-ઉધરસથી બચવા માટે જેઠીમધ, સૂંઠ અને તજની ચા જરૂરથી પીઓ; આ 6 હર્બલ પ્રોડક્ટ્સ ફિટ રાખશે .

 શિયાળામાં શ્રેષ્ઠ આયુર્વેદ:ઠંડીમાં શરદી-ઉધરસથી બચવા માટે જેઠીમધ, સૂંઠ અને તજની ચા જરૂરથી પીઓ; આ 6 હર્બલ પ્રોડક્ટ્સ ફિટ રાખશે .


શિયાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં મોસમી બીમારીઓનું જોખમ પણ વધી ગયું છે. તેથી આપણે સિઝનની દૃષ્ટિએ આપણા ડેલી રૂટિનમાં કેટલાક ફેરફાર કરવા પડશે. તમે આયુર્વેદની મદદ લઈને સ્વસ્થ રહી શકો છો. આયુર્વેદમાં 'ઋતુચર્યા' વિશે જણાવવામાં આવ્યું છે.


'ઋતુ'નો અર્થ છે 'મોસમ' અને 'ચર્યા' એટલે કે જીવનશૈલી અને આહાર સંબંધી નિયમ'. આર્યુવેદમાં 6 ઋતુઓ માટે વિવિધ ચર્યા વર્ણવવામાં આવી છે. ઠંડીમાં આપણે તેનું પાલન કરીને આપણે ઘણા રોગોથી પોતાને બચાવી શકીએ છીએ.


હર્બલ પ્રોડક્ટ કેટલી અસરકારક છે?

ડાયેટિશિયન અને ફૂ઼ડ એક્સપર્ટ ડૉક્ટર નિધિ જણાવે છે કે, ઠંડીમાં હર્બલ પ્રોડક્ટ ઘણી અસરકારક છે, પરંતુ તેને હંમેશાં માર્ગદર્શન મુબજ લેવી જોઈએ. કેમ કે, ઘણી વખત તમે ઘરે બેઠા તેનો ઉપયોગ વધારે કરો છો જે સ્વાસ્થ્ય માટે ખરાબ હોઈ શકે છે. હર્બલ પ્રોડક્ટ ત્યારે લેવી, જ્યારે ડેલી વર્કઆઉટ, એક્સર્સાઈઝ અથવા યોગ કરી રહ્યા હોવ. ઠંડીમાં જેઠીમધ, સૂંઠ, અથવા તજવાળી ચા જરૂરથી પીવી જોઈએ. તેનાથી શરીરમાં ગરમી આવે છે અને શરદી-ઉધરસ થવાની સંભાવના ઘટી જાય છે.


ઠંડીમાં આ 6 હર્બલ પ્રોડક્ટ તમને ફિટ અને ફાઈન રાખવામાં મદદ કરશે


1-જેઠીમધ

તેના પાવડરને મધમાં મિક્સ કરીને ચાટી શકાય છે. ચા અને ઉકાળામાં પણ ઉપયોગ કરી શકાય છે. જેઠીમધના મૂળિયાને પાણીમાં ઉકાળીને પીવા જોઈએ. તેનાથી ગળાની સમસ્યામાંથી રાહત મળે છે. મેનોપોઝ, સ્કિન અને હાર્ટની સમસ્યા નથી થતી.


2- સૂંઠ

ચામાં ઉપયોગ કરી શકાય છે. સવારે ખાલી પેટે બે-ત્રણ ચપટી ખાઈને ગરમ પાણી પીવું. શાકભાજી અને દૂધમાં નાખી શકો છો. તેનાથી ગળું પણ સારું રહે છે.


3- તમાલપત્ર

તેને ઉકાળીને પીવા જોઈએ. તેને શાકભાજીમાં નાખી શકાય છે. તેનાથી ટ્રાઇગ્લિસરાઇડ કંટ્રોલ થાય છે.


4- તજ

ચા અને દૂધમાં નાખીને પી શકો છો. માત્ર તજને ઉકાળી અથવા તેના પાણીમાં મધ ઉમેરીને પી શકો છો. સલાડ અને ગ્રેવીવાળા શાકભાજીમાં પણ ઉપયોગ કરી શકો છો. તેનાથી કરચલી નથી પડતી, વજન ઘટે છે. હાર્ટની સમસ્યા નથી થતી. ગળું સારું રહે છે. જો કે, વધારે ઉપયોગ કરવાથી બચવું જોઈએ, કેમ કે, તેનાથી બ્લડ પ્રેશર લો થઈ શકે છે.


5- બાદિયા

તેને પાણીમાં ઉકાળીને પી શકો છો. ચામાં પણ પી શકો છો, પરંતુ થોડા નાખવા કેમ કે, તે તીખા હોય છે. તેને પુલાવ અને ગ્રેવીવાળા શાકભાજીમાં ઉપયોગ કરી શકાય છે. તેનાથી બ્લડ પ્રેશર યોગ્ય રહે છે. ભૂલી જવાની બીમારીમાંથી રાહત મળે છે.


6- જાયફળ

તેનો ઉપયોગ મીઠી વસ્તુઓમાં કરી શકાય છે. જેમ કે, આપણે ઉનાળામાં એલચી ખાઈએ છીએ, તેવી જ રીતે ઠંડીમાં જાયફળ ખાવું જોઈએ. તે શરીરને હૂંફ આપે છે. તેનો પાવડર દૂધ અને ચામાં નાખીને પી શકાય છે. તેનાથી ફર્ટિલિટી સારી થાય છે, હાર્ટની સમસ્યા પણ નથી થતી. હાડકા મજબૂત થાય છે. મોંમાંથી દુર્ગંધ નથી આવતી. પરંતુ વધારે લેવાથી બચવું જોઈએ, કેમ કે, ડાયેરિયા થઈ શકે છે. ​​​​​​​


ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આયુર્વેદિક વસ્તુઓ કેટલી અસરકારક છે?

આયુષ મંત્રાલયે પણ ઠંડીમાં બીમારીઓથી બચવા અને ઈમ્યુનિટી વધારવા માટે ઘણી કામની વાતો જણાવી છે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દિવસ દરમિયાન હુંફાળું પાણી પીવું. દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ સુધી યોગ કરો. પ્રાણાયામ અને ધ્યાન કરો. એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી હળદર નાખીને પીઓ. ખાવામાં હળદર, જીરું અને ધાણા જેવા મસાલાનો ઉપયોગ કરવો. તુલસી, તજ, કાળા મરી, સૂંઠ અને કિશમિશનો ઉકાળો પણ પી શકો છો

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

जानें ये LPG4 नियम 1 नवंबर से नई सेवा शुरू

 इसमें गैस सिलेंडर दर पर एलपीजी सिलेंडर की डिलीवरी प्रणाली शामिल है। आपको बता दें कि इन सभी बदलावों का असर आपकी जेब पर पड़ेगा। पहली तारीख से एलपीजी गैस सिलेंडरों की डिलीवरी के लिए एक नई प्रणाली जारी की जाएगी, जिसके बाद आप ओटीपी के साथ सिलेंडर नहीं ले पाएंगे। इसके साथ ही इंडेन गैस ने साइडर बुकिंग की संख्या में भी बदलाव किया है, इसलिए पहली तारीख आने से पहले, आपको इन सभी परिवर्तनों के बारे में पता होना चाहिए ताकि आपको किसी भी तरह की परेशानी न उठानी पड़े। गैस सिलेंडर बुक करने के लिए ओटीपी आवश्यक है: LPG गैस सिलेंडर (LPG सिलेंडर होम डिलीवरी) की डिलीवरी की पूरी प्रक्रिया 1 नवंबर से बदलने जा रही है। अब से गैस बुकिंग के बाद ग्राहक के मोबाइल नंबर पर ओटीपी भेजा जाएगा। इस ओटीपी को डिलीवरी बॉय के साथ साझा करना होगा, जब सिलेंडर डिलीवरी के लिए आएगा। इस कोड के सिस्टम में मेल हो जाने के बाद, ग्राहक को केवल सिलेंडर की डिलीवरी मिलेगी। नवंबर से पहले अपना मोबाइल नंबर अपडेट करें: आपको बता दें कि नई सिलेंडर डिलीवरी पॉलिसी में उन ग्राहकों की मुश्किलें जिनका पता गलत है और मोबाइल नंबर गलत है, इस वजह से उस ...

अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है।

  अनलॉक -5: कोरोना की स्थिति के बीच 15 अक्टूबर से स्कूल फिर से खुल जाएंगे, पता करें कि विभिन्न राज्यों ने स्कूल खोलने का क्या निर्णय लिया है। केंद्र सरकार द्वारा घोषित अनलॉक -5 गाइडलाइन के अनुसार, स्कूल 15 अक्टूबर से फिर से खुलेंगे। हालांकि, दिल्ली, कर्नाटक और छत्तीसगढ़ सहित कई राज्यों ने वर्तमान में स्कूल नहीं खोलने का फैसला किया है। गुजरात राज्य सरकार ने अग्रिम रूप से यह भी स्पष्ट कर दिया है कि दिवाली के बाद ही स्कूल को फिर से खोलने पर विचार किया जाएगा। दूसरी ओर, हरियाणा और मेघालय जैसे कुछ राज्यों ने अभी तक इस पर निर्णय नहीं लिया है। स्कूल 21 सितंबर से आंशिक रूप से खुले होंगे पहले के अनलॉक -4 दिशानिर्देशों के तहत, सरकार ने 21 सितंबर से स्कूल को आंशिक रूप से Std-9 से Std-12 तक खोलने की अनुमति दी थी। हालांकि, अभी भी अधिकांश माता-पिता कोरोना की स्थितियों के बीच अपने बच्चों को स्कूल भेजने के पक्ष में नहीं हैं। बेशक, 1 अक्टूबर को लागू हुई अनलॉक -5 गाइडलाइन का पालन करते हुए, स्कूल अब 15 अक्टूबर को फिर से खुल रहा है। इसके लिए अंतिम निर्णय राज्य सरकारों द्वारा लिया जाएगा। दिल्ली: दिल्ली ...

भूकंप: कच्छ शहर में 19 घंटे में 5 भूकंप

 भूकंप: कच्छ शहर में 19 घंटे में 5 भूकंप कच्छ में, 19 घंटे में 1.7 से 2.8 तक के 5 झटके दर्ज किए गए क्योंकि फॉल्ट लाइन को फिर से सक्रिय किया गया था। काफी देर बाद खवाड़ा के पास आंधी आई। पूर्वी कच्छ में 5 और साढ़े 5 घंटे में 3 हल्के झटके महसूस किए गए, साथ ही पूर्वी कच्छ में पश्चिम कच्छ में 5 झटके आए। सोमवार दोपहर 12.30 बजे, खवाड़ा से 46 किमी दूर 2.8-तीव्रता का झटका आया।